પાલનપુરના બ્રિજેશ્વર કોલોની રોડને ખોદી દેવામાં આવ્યો પરંતુ વૈકલ્પિક રસ્તો ન હોવાથી ભારે હાલાકી 

May 16, 2022

— સાત સંચા અને કમાલપુરાનો વૈકલ્પિક રસ્તો પણ ભંગાર હાલતમાં હોવાથી મુશ્કેલી :

ગરવી તાકાત પાલનપુર :  પાલનપુર શહેરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં માર્ગ નવીનીકરણ ની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં માર્ગ ખોદી દેવામાં આવ્યો છે પરંતુ કપચી સહિતની માલસામાન હડતાલને કારણે ન મળતાં આ કામગીરી અટવાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે આ રસ્તા પરથી જતા વાહનચાલકો માટે વૈકલ્પિક એવા સાત સંચા અને કમાલપુરાનો રોડ પણ બિસ્માર હાલતમાં હોઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાલનપુરના મોટા ભાગનાં ગામડાંઓને જોડતો બ્રિજેશ્વર કોલોની માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી આ માર્ગનું નવીનીકરણ કરવા માટે લોકો દ્વારા આંદોલન છેડવામાં આવ્યું હતું
ત્યારે હવે આંદોલન બાદ આ રોડના નવીનીકરણની કામગીરી તો શરૂ થઇ અને છેલ્લા કેટલાક દિવસથી આ રોડ ખોદી દેવામાં આવ્યો છે પરંતુ રોડની કામગીરી શરૂ ન થતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા જમાદાર વાસ, સાત સંચા અને કમાલપુરા થઇ ધનિયાણા ચાર રસ્તા તરફ જતા રોડની હાલત બિસ્માર હોઈ લોકોને ભારે હાલાકી પડી રહી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0