સુઇગામ તાલુકામાં વધુ એક કેનાલમાં ભંગાણ, કાચા કામની ગવાહી !

December 12, 2020

ઉચોસણ માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં 10 વીઘા જીરાના પાકનો સફાયો.

બનાસકાંઠા : સુઇગામ તાલુકાના ઉચોસણ માઇનોર કેનાલમાં વધુ પાણી છોડી દેવાના કારણે ઉચોસણ ગામની સીમમાં કેનાલમાં ભંગાણ સર્જાતાં 20 ફૂટનું ગાબડું પડ્યુ હતુ. જેના કારણે અનેક વિઘામાં વાવેતર કરેલ જીરાના પાકમાં પાણી ફરી વળ્યુ હતુ. જેથી ખેડૂતને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

આ પણ વાંચો – મહેસાણા-ચાણસ્મા હાઈવે: શુ એક વરસાદથી રોડને તુટી જ જવુ જોઈયે?

સરહદી વિસ્તારમાં દિવસ ઉગેને કેનાલો તૂટવાની બુમરાડ ઉઠવા પામે છે,છતાં જવાબદાર નર્મદા વિભાગ સાફ ઘોરતું હોય તેવું લાગી રહ્યું છે. દરમ્યાન શુક્રવારે રાત્રે વધુ પાણી છોડી દેવાના કારણે હલકી ગુણવત્તાની ઉચોસણ માઇનોર કેનાલ માં 20 ફૂટનું ગાબડું પડતા ઉચોસણના  ખેડૂત શિવાજી જામાજી ઠાકોરનું ખેતર તળાવમાં ફેરવાઈ ગયું હતું, ખેતરમાં પાણી ભરાતાં અનેક વિઘામાં વાવેતર કરેલ જીરાના પાકનો સફાયો થતાં ખેડૂતે વાવેતર કરેલ પાકનો સફાયો થતાં રાતાં પાણીએ રોવાનો વારો આવ્યો છે,હલકી ગુણવત્તાની કેનાલો વારંવાર તૂટવાની ઘટનાઓ છતાં જવાબદાર નર્મદા વિભાગ કુંભકર્ણ ની ઊંઘમાં હોવાનું જણાઈ રહ્યું છે.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0