PM જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ 436 રૂપિયાના પ્રીમિયમ સામે બનાસકાંઠાના ખેડૂત પરિવારને 2 લાખની સહાય…

July 2, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ધનપુરા-ઢોળીયા ગામના ખેડૂત પ્રભુજી સોલંકીના પરિવારને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મળ્યો પ્રભુજી સોલંકીનું 18 માર્ચ 2025ના રોજ આરોગ્ય સમસ્યાઓને કારણે અવસાન થયું. વાર્ષિક માત્ર 436 રૂપિયાના પ્રીમિયમથી 2 લાખનો જીવન વીમો ધરાવતા પ્રભુજીના પુત્ર કિશનજી સોલંકીએ વીમા દાવો નોંધાવ્યો.

બેંક ઓફ બરોડા, ઇકબાલગઢ શાખા અને ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીની ઝડપી કાર્યવાહીથી થોડા દિવસોમાં જ વીમાની રકમ ચૂકવાઈ. જિલ્લા લીડ બેંક મેનેજર હેમંત ગાંધીએ લોકોને ગ્રામ પંચાયત શિબિરો કે બેંકમાં જઈને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના અને રી-કેવાયસીનો સમાવેશ થાય છે.

Benefits of PM Jeevan Jyoti Insurance Scheme | PM જીવન જ્યોતિ વીમા યોજનાનો  લાભ: 436 રૂપિયાના પ્રીમિયમ સામે બનાસકાંઠાના ખેડૂત પરિવારને 2 લાખની સહાય -  banaskantha (Palanpur ...

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 18થી 50 વર્ષના બેંક ખાતાધારકો માટે ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ કુદરતી કે અકસ્માત મૃત્યુના કિસ્સામાં વારસદારને વીમાનો લાભ મળે છે. ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને આર્થિક સુરક્ષા આપવા માટે શરૂ કરાયેલી આ યોજનાએ અનેક પરિવારોને મુશ્કેલ સમયમાં આધાર પૂરો પાડ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0