ઘટતા કેસો વચ્ચે અમદાવાદમાં ફરીથી AMTS- BRTS નો આજથી પુનઃ પ્રારંભ

June 7, 2021

અમદાવાદમાં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે બંધ કરવામાં આવેલી બીઆરટીએસ-એમટીએસ બસો ફરીથી શહેરના માર્ગો પર દોડવાનો આજથી પુનઃ પ્રારંભ થયો છે . ૮૨ દિવસ બાદ આજથી બીઆરટીએસ-એમટીએસ બસ શરૂ કરવામાં આવતા મુસાફરોમાં ખુશી ફેલાઇ છે. જાે કે મુસાફરી દરમિયાન કોવિડ નિયમોનું પાલન કરવું ફરજીયાત બનાવાયું છે. તંત્ર દ્વારા લોકોને જાગૃતિ બચવા માટે સલાહ આપવામાં આવી રહી છે.શહેરની બસોની સીટો પર સો.ડિસ્ટન્સ જાળવવા સ્ટીકર લગાવવામાં આવ્યા છે.

શહેરમાં કેસ ઓછા થયા બાદ વહીવટી તંત્રે રાજ્ય સરકાર સાથે વિચારણા કર્યા બાદ આ ર્નિણયો લીધા છે. જાેકે જે બસોને પરવાનગી મળી છે તે સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધી સુધી દોડશે ફક્ત ૫૦ ટકા ક્ષમતા સાથે દોડશે.
અમદાવાદીઓ માટે રાહતના સમાચાર છે,કોરોના મહામારી ના કારણે સૌથી વધારે જાે કોઈ ક્ષેત્રને અસર પડી હોય તો તે પરિવહન ક્ષેત્ર છે.રાજ્યભરમાં નાના ગામડાઓ થી લઈ અને મહાનગરોમાં ઘણી બધી ખાનગી તેમજ સરકારી બસોને કોરોનાને કારણે બંધ કરવાનો વારો આવ્યો હતો.અમદાવાદ બહોળા પ્રમાણમાં મધ્યમ વર્ગ રહે છે કે જેમની દૈનિક ક્રિયાઓ આ બસો દ્વારા શરૂ થતી હતી. પરંતુ કોરોના પર કાબૂ મેળવવા માટે લોકડાઉનનો ર્નિણય કરવામાં આવતા આ બસો બંધ કરવામાં આવી હતી.જેના પગલે આમ જનતામાં ભારે હાલાકી જાેવા મળી રહી હતી. જેનો હવે અંત આવ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0