બનાસકાંઠાના દલિત સંગઠન દ્વારા મફત ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ 

May 17, 2021
બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં ચાલી રહેલી  કોરોના વાઇરસની મહામારીના સમયમાં હાલમાં ઓક્સિજન અને હોસ્પિટલોમાં બેડ પણ મળી શકતા નથી અને એમ્બ્યુલન્સો પણ સમયસર મળતી ન હોઇ આવા કપરા સમયમાં બનાસકાંઠાના થરાદ, વાવ અને સૂઈગામ તાલુકાના લોકો માટે બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા મફત ઓક્સિજન સાથે વાહન સેવા શરૂ કરવામાં આવી છે.
ઉપરોકત ત્રણેય તાલુકાના કોઇપણ ગામડેથી તાલુકા લેવલે હોસ્પિટલ સુધી તમામ સમાજના ઈમરજન્સી દર્દીને લાવવા માટે મફત ઓક્સિજન સાથે વાહન સેવા આપવામાં આવશે. આ સેવાનો લાભ લેવા માટે નાનજીભાઇ હડીયલ, થરાદ (મો.૯૮૨૪૯૨૨૭૯૪) હમીરભાઈ ચૌહાણ, વાવ (મો.૯૮૭૯૭૭૪૮૫૮) અને અરજણભાઈ વાઘેલા સૂઇગામ (મો.૭૦૪૬૫૩૧૮૪૨) નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0