સરસ્વતી તાલુકાના સરીયદ ગામે લંપી વાયરસથી પીડીત ગાયો માટે રોજના એક હજાર લાડુ બનાવાય છે

August 31, 2022

— આખા ગામે ફાળો કરી ને રોજે રોજ ૬૦૦ થી ૭૦૦ ગાયોને લાડુ ખવડાવવામાં આવે છે :

ગરવી તાકાત સરસ્વતી પાટણ :  હાલમાં પશુધન માં ખાસ કરીને ગાયોમાં લંપી વાયરસ આવતા અનેક ગાયો મોતને ભેટી છે અને અનેક ગાયો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.ત્યારે ઔષધરૂપે લાડુ બનાવવામાં આવે છે તેમાં વિવિધ પ્રકારના કુદરતી રસાયણ ઉમેરીને ગાયોને લાડુ ખવડાવવામાં આવે છે.આ અવશધી લાડુ એક દવાનું કામ કરે છે.ગાયો સ્વસ્થ થાય છે.હાલમાં માત્ર અવશધી લાડુ એક દવા તરીકે ઉપાય છે.
ત્યારે સરસ્વતી તાલુકાના સરીયદ ગામના ગ્રામજનો તેમજ યુવાનો દ્વારા આ ભગીરથ કાર્ય જ્યારથી વાયરસ આવ્યો ત્યારથી કરવામાં આવી રહ્યું છે.અને અબોલા પશુધન ને લાડુ ખવડાવવામાં આવે છે.આ કાર્ય માટે ગ્રામજનોએ ભેગા મળીને ફાળા નું આયોજન કર્યું છે.જે માં દાતાઓ દ્વારા રોજના 1000 લાડુ બનાવીને ૬૦૦ થી ૭૦૦ ગાયોને ખવડાવવામાં આવે છે.
તેમજ આજુબાજુના ગામના પણ પશુઓને આવરી લેવામાં આવે છે.આ કામગીરી સરીયદ ગામના યુવાનો ઉત્સાહભેર કરી રહ્યા છે અને આ વાયરસ ના રોગ સામે પશુઓને નવું જીવતદાન આપી રહ્યા છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0