મુંબઈમાં ભારે વરસાદને લીધે મલાડ વિસ્તારમાં ઈમારત પડી ગઈ, 11 ના મોત

June 10, 2021

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં બુધવારે ચોમાસું ત્રાટક્યું છે. ભારે વરસાદને કારણે મયાનગરીમાં બધે પાણી જાેવા મળ્યા હતા. મુંબઈની જીવાદોરી કહેવાતી લોકલ ટ્રેનનું સંચાલન ખોરવાઈ ગયું હતું, અને ચાર સબવે પણ બંધ રાખવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે મુંબઈમાં ફરી એકવાર કહેર છવાયો છે. મુંબઇના મલાડ વેસ્ટ વિસ્તારમાં ગત રાત્રે ચાર માળનું રહેણાંક મકાન ધરાશાયી થતાં ૧૧ લોકોનાં મોત અને ઘણાં લોકો ઘાયલ થયા છે. આ સિવાય ઘણા લોકો કાટમાળ નીચે દબાઇ ગયા છે. જેને બહાર કાઢવામાં આવી રહ્યો છે.

બીએમસીએ જણાવ્યું હતું કે નજીકની વધુ ત્રણ ઇમારતો પણ ખાલી કરાઈ છે કારણ કે તેમની હાલત સારી નથી. બચાવ કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે.તે જ સમયે, ડીસીપી સાઉથ ઝોન વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે, મહિલા અને બાળકો સહિત ૧૫ લોકોને બહાર કા .વામાં આવ્યા છે, તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળની નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સવારથી જ ભારે વરસાદને કારણે બુધવારે મુંબઇના નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા હતા. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલના પાટા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે થાણે અને વાશી માટે લોકલ ટ્રેનોનું કામકાજ અટકી ગયું હતું. એ જ રીતે બેસ્ટ બસનો રૂટ પણ બદલવો પડ્યો. પાણી ભરાવાના કારણે મહાનગરના ચાર સબવે પણ બંધ રાખવાના હતા.લોકોને ભારે મુશ્કેલી પણ પડી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0