કલમ 144 વચ્ચે CM અને Dy.CM ની હાજરીમાં 287 કરોડના કામોનુ ખાતમુહુર્ત

December 8, 2020
8 ડીસેમ્બરના રોજ ખેડુતોએ ભારત બંધનુ એલાન આપ્યુ છે એની વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા મહેસાણા જિલ્લાના નાગરિકોને નર્મદા મુખ્ય કેનાલ આધારિત પીવાનું પાણી પૂરું પાડવા માટે મહેસાણા શહેર, વિસનગર શહેર અને તાલુકો તથા ઉંઝા શહેર તેમજ વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના ગામોની પાણી પુરવઠા યોજના તથા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો – CM એ ધાનેરા ખાતે 241.34 કરોડના ખર્ચે પાણીના કામોનુ ખાતમુહુર્ત કર્યુ

પીવાના પાણીની વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના 54 ગામો અને મહેસાણા, વિસનગર અને ઉંઝા શહેર માટે મુખ્ય નહેર આધારિત રૂ. 78.94 કરોડની ભાગ 1 રૂપીયા 80.26 કરોડની ભાગ 2 અને રૂપીયા 71.53 કરોડની ભાગ 3 યોજનાઓનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત જીલ્લાના વડનગર અને ખેરાલુ તાલુકાના 90 ગામો અને ખેરાલુ તેમજ વડનગર શહેરની રૂ. 39.42 કરોડની ધરોઈ જુથ સુધારણા યોજનાનુ ખાતમુહુર્ત કરાયુ હતુ.

મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના 70 ગામો માટે 9.25 કરોડની ધરોઈ જુથ સુધારણા યોજના અને બેચરાજી શહેર માટે રૂ. 7.20 કરોડના 3 એમ.એલ.ડી. ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનુ કરાયુ હતુ. આમ જીલ્લાની કુલ 6 યોજનાઓનુ અંદાજે રૂ 287 કરોડના કામોનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ.

આમ મહેસાણામાં રાજ્યના સી.એમ. તથા ડે.સીએમ. સરકારી વિવિધ કામોના ખાતમુહુર્ત કરવા આવેલ હોવાથી 8 ડીસેમ્બરના રોજ આપેલા ભારત બંધના એલાનની કોઈ અસર શહેરમાં જોવા નહોતી મળી. શહેરની મોટાભાગની દુકાનો અને શોપીંગ મોલ ખુલ્લા જ જોવા મળ્યા હતા. 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0