મહારાષ્ટ્રના પુણેમાં સેનિટાઈઝર ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં ઘણા લોકોના મોત નીપજ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં લગભગ ૧૮ લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણા લોકો ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફેક્ટરી ક્લોરિન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે જેનો ઉપયોગ હવા, પાણી અને સપાટીને સાફ કરવા માટે કરવામાં આવે છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આશંકા છે કે પેકેજિંગ ભાગમાં થોડી સ્પાર્ક હોવાથી અને પ્લાસ્ટિક હોવાને કારણે આગ લાગી હતી, તે ચારે બાજુ ઝડપથી ફેલાઇ હતી.
આ સાથે જ પીએમ મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, ‘મહારાષ્ટ્રના પુણેમાં એક ફેક્ટરીમાં આગ લાગવાથી લોકોના મોતથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારોને સંવેદના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારોને પીએમ રાહત ફંડમાંથી દરેકને ૨ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ સાથે ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે સાંજે પાંચ વાગ્યે પુણેમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે પ્લાસ્ટિકનું પેકિંગ ચાલુ હતું. કારખાનામાં હાજર લોકોને ધુમાડાના કારણે બચવાનો મોકો મળ્યો ન હતો. આ ફેક્ટરીમાં મોટાભાગની મહિલાઓ કામ કરે છે.
આગની તીવ્રતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે આગને કાબૂમાં લેવા માટે ૬ ફાયર ટેન્ડર લગાવવામાં આવ્યા હતા. કલાકોની મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ દુર્ઘટના સમયે ફેક્ટરીની અંદર લગભગ ૩૭ લોકો હાજર હતા.આ ઘટના પછી તરત જ મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશ આપ્યા મૃત્યુ પામેલા લોકોને પાંચ લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ ટિ્વટ કરીને આ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
અમિત શાહે આ મામલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું-“પુણેમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી થયેલા હૃદયવિદારક સમાચાર સાંભળીને વ્યથિત છું. જેમણે આ અકસ્માતમાં તેમના પ્રિયજન ગુમાવ્યા છે તેમના આ અપૂરતી ક્ષતિ પર હું દુઃખ વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તોની ઝડપથી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.